Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

રાધનપુરમાં ગુર્જર પ્રજાપતિ સમાજના સમુહલગ્નમાં ર૪ યુગલોએ લાભ લીધો

૧૭ જેટલા યુગલોની ઉંમર ઓછી હોવાથી આયોજકોએ મોકુફ રખાવ્યા

પાટણ તા.રઃ આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના સમૂહલગ્નોત્સવમાં ૧૭ જેટલા બાળલગ્નો મોકુફ રખાયાનું જાણવા મળેલ છે.

રાધનપુર ખાતે ભાભર હાઇવે ઉપર આવેલ પ્રજાપતિ છાત્રાલયમાં ૪૧ સમુહલગ્નોનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાક યુગલોની ઉંમર લગ્ન પ્રમાણે પરિપૂર્ણ થતી ન હોઇ ૧૭  જેટલા જોડાના બાળલગ્ન મોકુફ રખાયા હતા.

જયારે ૨૪ જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડતા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી આર્શિવચન પાઠવેલ હતા.

આ પ્રસંગે ગુર્જર પ્રજાપતિ સમાજના લોકો આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(2:51 pm IST)