Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ગુજરાતના પ્રવાસીઓની બસને મહારાષ્ટ્રમાં અકસ્માતઃ બાળક સહિત ત્રણના મોત

વાપીઃ સાપુતારા-નાસિક રોડ પર એક ખાનગી બસ પલટી મારી જતાં એક બાળક સહિત ત્રણના મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. અકસ્માતના પગલે ૩૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સાપુતારા-નાસિક રોડ પર સાપુતારાથી સાત કિમી દૂર મહારાષ્ટ્રની હદમાં ગુજરાતની ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ ગુજરાતથી મહારાષ્ટ્રના બોરગાવ કનાશી રોડ પર હતગડ પાસે ગાયદર ઘાટમાં બસે પલટી મારી હતી. બસે પલટી મારતા ૩૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જયારે એક બાળક સહિત ત્રણના મોત નિપજયું હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ અને આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(1:11 pm IST)