Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

આણંદ નજીક રાહતલાવમાં પરિણીતાએ અગમ્ય કારણોસર પુત્ર સાથે લીંગડા નહેરમાં જંપલાવી મોતને વ્હાલું કર્યું

આણંદ: નજીક આવેલા રાહતલાવ ગામે રહેતી એક પરિણીતાએ આજે પોતાના પાંચ વર્ષીય પુત્ર સાથે લીંગડા ગામેથી પસાર થતી નહેરમાં ઝંપલાવી દેતાં ચકચાર મચી જવા પામી છે. આણંદ ફાયરબ્રીગેડ દ્વારા મોડી સાંજ સુધી નહેરમાં તપાસ કરવા છતાં પણ કોઈ મળી આવ્યુ નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર આજે લીંગડા ગામેથી પસાર થતી મોટી નહેર પાસે એક એક્ટિવા, મહિલા અને બાળકના ચપ્પલ પડેલા હોવાની જાણ ગામના સરપંચને થતાં તેઓ તુરંત તલાટી સાથે નહેર પર પહોંચી ગયા હતા અને એક્ટિવાના નંબરના આધારે તપાસ કરતાં તે કાનજીભાઈ ચાવડાના નામે હોવાનું ખુલવા પામ્યું હતુ. એક્ટિવાની ડીકી ખોલીને જોતા તેમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેના પરથી વાતચીત કરતાં કોઈ મુન્નાભાઈ નામની વ્યક્તિએ ફોન રીસીવ કર્યો હતો અને તેણીના ભાભી હેતલબેનનો નંબર હોવાનું જણાવ્યું હતુ. જેથી તેમને ઘટનાની જાણ કરતાં તેઓ નહેર પર આવી ચઢ્યા હતા.

(6:02 pm IST)