Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

શ્રી સ્વામિનારાયણ મંદિર-મણીનગર દ્વારા મુખ્યમંત્રી રાહતફંડમાં ૨૫ લાખનો ચેક અર્પણ

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર તરફથી માનનીય મુખ્યમંત્રીશ્રીને ૨૫ લાખ રૂપિયાની રાહત સહાયનો ચેક અર્પણ કરવામાં આવેલ. આચાર્ય શ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા રૂપિયા ૨૫ લાખની સહાયનો ચેક મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને અર્પણ કરવામાં આવેલ.

  મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનની જયાં જયાં શાખા અને પ્રશાખાઓ છે ત્યાં ત્યાં અનાજ-પાણી, દૈનિક ૪૮૦૦ ઉપરાંત જરૂરિયાતમંદોને ભોજન તથા ફુડપેકેટ્સ, લીલા શાકભાજીનું વિતરણ વગેરે તેમજ વિદેશમાં પણ વિવિધ જગ્યાએ સેવા યજ્ઞ ચાલુ હોવાનું જણાવાયું છે.

(3:37 pm IST)