Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

દોઢ દિવસમાં ૧પ લાખ થી વધુ લોકોને અનાજનો પુરવઠો અપાયો : ખરાબ અનાજ આપનાર દુકાનદાર સામે કાયદાકીય પગલાં ભરાશે : અશ્વિનીકુમાર

૧૪ એપ્રિલ સુધી ફેકટરી-ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓને ટર્મિનેટ નહિ કરી શકાય

ગાંધીનગર,તા.ર :કોરોના વાયરસ (Corona virus) અંગેના ગુજરાતના લેટેસ્ટ અપડેટ અંગે CMOના સચિવ અશ્વિનીકુમારે પ્રેસ કોન્ફરન્સમાં મહત્વની માહિતી આપી કે, રાજયમાં આવેલી ફેકટરી તથા ઇન્ડસ્ટ્રીઝના એકમોના  કર્મચારીઓ 14 મીએપ્રિલ સુધી કોઈને પણ ટર્મિનેટ કે પગાર આપવાની વાત નહિ આવે. દ્યરે કામ કરતા લોકો માટે પણ આ કાયદો લાગુ પડશે. કોઈ પણ કંપની ફેકટરીના માલિક આ નિયમનો ભંગ કરશે તો કરો કલમ 51 હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજયોના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં કોરોના વાયરસમાં લીધેલા પગલાઓ અંગે તેઓને માહિતગાર કર્યા છે. અમદાવાદ, સુરત ખાતે વડોદરા અને રાજકોટ ખાતેની હોસ્પિટલમાં ચાલી રહેલ સારવાર અંગેની વિગતો આપી હતી. તમામ જિલ્લાઓની પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરાઈ છે.

મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, ખાનગી ડેરીનો વિસ્તાર બંધ હોય તેવા સંજોગોમાં પશુપાલકે સહકારી મંડળીઓમાં પણ દૂધ  ભરાવી શકે છે. સભાસદ ન હોય તેમ છતા તેઓ દૂધ જમાવી કરાવી શકશે. આ ઉપરાંત વૃદ્ઘો વિધવા બહેનો સહિતની એડવાન્સમાં પેન્શન આપવાની હતી. તેઓના ખાતામાં 21 કરોડ જેટલી રકમ જમા કરાવી દેવામાં આવી છે.

મફત અનાજ વિતરણ વિશે તેઓએ કહ્યું કે, 66 લાખ કુટુંબો અને નેશનલ ફૂડ સિકયોરિટી એકટ અંતર્ગત અને અનાજ આપવાનો પડકાર હતો. પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. દોઢ દિવસમાં 15 લાખથી વધુ લોકોને અનાજનો પુરવઠો આપવામાં આવ્યો છે. 4 એપ્રિલથી રાજય બહારના શ્રમિકો, મહેનત મજૂરી કરતા લોકો લોકોને અનાજનો જથ્થો પૂરો પાડવામાં આવશે. રેશનકાર્ડ ના હોય તેઓને પણ જરૂરી અને પૂરવઠો પૂરો પાડવામાં આવશે. આ ઉપરાંત રાશનની દુકાનોમાં સડેલુ અનાજ ન અપાય તે પ્રકારની સુચના આપવામાં આવી છે. ગુણવત્ત્।ા વગરનું ન અપાય તેવી સુચના આપવા આવી છે. આમ છતાં જો ખરાબ અનાજ આપવામાં આવશે તો દુકાનદાર સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે. અનાજ આપવાની દ્યટનાને પણ ગંભીરતાથી લેવામાં આવશે. આ પ્રકારની કોઇ કામગીરી થતી હશે તો તેઓ સામે પણ એવા માલિકો સામે પણ પગલાં ભરાશે. શાકભાજી અને ફળફળાદી નો જથ્થો પૂરતા પ્રમાણે આવક આજે પણ રાજયમાં થઈ છે.

(3:23 pm IST)