Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

રાજ્યના શ્રમિકો માટે વાહનની વ્યવસ્થા નહીં સરકાર : પગપાળા જશો તો કરાશે અટકાયત

અમદાવાદ : કોરોના વાઈરસનો ફેલાવો અટકાવવા માટે સરકારે 21 દિવસ સુધીના લોકડાઉનની જાહેરાત કરી છે. આ 21 દિવસ દરમિયાન તમામ ધંધા બંધ રહેવાથી શ્રમિકો સ્થળાંતર કરી રહ્યાં છે. આ શ્રમિકો માટે પહેલાં તો સરકારે વ્યવસ્થા કરી હતી અને અમુક બસ ફાળવવામાં આવી હતી. જો કે હવે સરકારે જણાવ્યું કે કોઈપણ શ્રમિક માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવશે નહીં. આ સિવાય જો કોઈ શ્રમિક વતન જવા પગપાળા નીકળશે તો તેની પણ અટકાયત કરાશે

(12:56 am IST)