Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

દિલ્હીમાં મરકઝથી આવેલ અમદાવાદમાં 27 લોકોને ક્વોરેન્ટાઇન કરાયા: ત્રણ લોકોમાં લક્ષણો દેખાયા !!

દરિયાપુરની મલેક અહેમદ મસ્જિદમાં તેમને ક્વોરન્ટાઈન કરીને તબીબી પરિક્ષણ કરાયું

અમદાવાદ : દિલ્લીના નિઝામુદ્દિનના મરકજમાં ભાગ લઈને ગુજરાત આવેલા લોકોનો મામલો વધુ ગંભીર બની રહ્યો છે. અમદાવાદના દરિયાપુરમાં 2 જમાતના 27 લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે. દરિયાપુરની મલેક અહેમદ મસ્જિદમાં તેમને ક્વોરન્ટાઈન કરીને તબીબી પરિક્ષણ કરાયું. જે દરમિયાન ત્રણ વ્યક્તિમાં કોરોનાના લક્ષણ હોઈ શકે તેવી શંકાએ તેમને આરોગ્ય વિભાગની ટીમ પોતાની સાથે લઈ ગઈ. હાલ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે.

(8:53 am IST)