Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

નડિયાદ:ખેડા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ સર્જાયેલ બે અલગ અલગ અકસ્માતમાં એક શખ્સનું સારવાર દરમ્યાન મોત

નડિયાદ:તાલુકાના નાના વગાગામમાં આવેલ ભાથીજી મંદિર પાસે અકસ્માત સર્જાયો હતો. પ્રતાપભાઇ સોઢા તેમની દુકાનેથી જમવા માટે ઘર તરફ જઇ રહ્યા હતા તે સમયે રોડ ક્રોસ કરતા એક મોટર સાયકલના ચાલકે પોતાની મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી પ્રતાપભાઇને અડફેટ મારી હતી. જેથી પ્રતાપભાઇને શરીરે ઇજાઓ પહોચી હતી.તેઓને ૧૦૮ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યાથી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યા પ્રતાપભાઇનુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતુ. બનાવ અંગે  હિંમતભાઇ પ્રતાપભાઇ સોઢાએ નડિયાદ રૂરલ પોલીસ મથકે મોટર સાયકલના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહેમદાવાદ તાલુકાના વાંઠવાડી ગામ પાસે  અકસ્માત સર્જાયો હતો. કાલુસિંહ રાજપૂત જામનગર રીલાયન્સ કંપનીમાંથી ટેન્કરમાં ફર્ના ઓઇલ ભરી બપોરે  છતીસગઢ રાજયના રાયપુર  જવા માટે નિકળ્યા હતા. તે સમયે મહેમદાવાદ તાલુકાના વાંઠવાડી ગામ પાસેથી પસાર થતા હતા તે સમયે એક રીક્ષાના ચાલકે પોતાની રીક્ષા પુરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઇડ હંકારી ટેન્કર સાથે અથડાવી હતી

(4:37 pm IST)