Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

નર્મદા જિલ્લામાં એક અસ્થિર મગજના યુવાન સહિત બે યુવાનોએ ઝેરી દવા પી લેતા બંનેનું મોત નીપજ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં બે યુવાનોએ ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે.
  પ્રાપ્ત માહિતી મુજબ વણઝર ગામના કલમસીગભાઇ મનસુખભાઇ વસાવાએ આપેલી ખબર મુજબ ગામના પીંકલભાઇ કનુભાઇ વસાવા (ઉ.વ.૨૬)બાળપણથી અસ્થીર મગજનો હોઇ ઝેરી દવા પી ગયો હોવાથી તેને ૧૦૮ મા સારવાર માટે લઈ જતા ફરજ પરના ડોકટરે તપાસ કરતા મૃત જાહેર કર્યો હતો.રાજપીપળા પોલીસે આ બાબતે અ. મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.
   જ્યારે અન્ય એક બનાવમાં નાંદોદ તાલુકાના ગામડી ગામના જીતેન્દ્રભાઇ ભીખાભાઇ વસાવાએ આપેલી ખબર અનુસાર તેમના ભાઈ જતીનભાઇ ભીખાભાઇ વસાવા (ઉં.વ.૨૩)એ કોઇ અગમ્ય કારણસર પોતાની જાતે જ ઝેરી દવા પી જતા તેનું મોત થયું છે.રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:23 pm IST)