Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

બજેટ ભારતને વિકાસના નવા શિખરે પહોંચાડશેઃ નરહરિ અમીન

રાજકોટ,તા. ૨ : રાજયસભાના ભાજપના સભ્‍ય શ્રી નરહરિ અમીને બજેટને આવકારતા જણાવ્‍યું છે. સર્વસમાવેશી વિકાસ, લાસ્‍ટ, માઇલ ડિલીવરી, ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર અને ઇન્‍વેસ્‍ટમેન્‍ટ, ગ્રીન ગ્રોથ, યુવા શકિત, નાણા ક્ષેત્ર અને દેશવાસીઓની ક્ષમતાઓને બહાર લાવવા જેવા સાત પાસાઓ-‘સપ્‍તર્ષિ'ને પ્રાધાન્‍ય આપતુ આ બજેટ ભારતના વિકાસને નવા શિખરે પહોંચાડશે. દેશના ગરીબ, વંચિત, મધ્‍યમ વર્ગને વિકાસના અનેક નવીન અવસરો આપીને તેમની આશા-અપેક્ષા સંતોષતું તથા અમૃતકાળમાં ભારતને ‘વિસકિત રાષ્‍ટ્ર' બનાવવાની પ્રધાનમંત્રીશ્રીની સંકલ્‍પના ચરિતાર્થ કરતુ બજેટ રજુ કરવા બદલ કેન્‍દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણને અભિનંદન પાઠવું છું.

(6:07 pm IST)