Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

કોરોનાના ભયથી કિશોરે ગળાફાંસો ખાતા મોત

વડોદરા,તા. ૧: શહેરના માંજલપુર નિવાસી એક કિશોરે કોરોનાના ડરથી ગળફાંસો ખાઇ મોત મીઠુ કરતા ચકચાર મચી ગઇ છે. કેશવગ્રીન સોસાયટીમાં રહેતો પારસ ઝા (૧૫)એ મકાનમાં ફંદો ખાઇ લીધો હતો. પરિવારે પોલીસને જાણ કરતા તપાસ કરી છે. પ્રાથમીક તપાસમાં ધો. ૧૨માં અભ્યાસ કરતો પારસ કોરોનાની શરૂઆતથી ઘરમાં જ રહેતો હતો. અને કોરોનાની વેકસીન ન આવે ત્યાં સુધી ન નીકળવાનું કહેતો હતો. અંતે કોરોનાના ડરના કારણે જીંદગી ટુંકાવી હતી.

(3:33 pm IST)