Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને એક વર્ષ પૂર્ણ

અમદાવાદ,તા.૨: રાજ્ય સરકારે તમામ જીવ પ્રત્યે કરૂણા દાખવીને મનુષ્યની જેમ પશુ-પંખીઓ માટે પણ ગત ઓક્ટોબર-૨૦૧૭થી રાજયમાં ૧૯૬૨-કરૂણા એનિમલ એમ્બ્યુલન્સનો મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે તાજેતરમાં તા.૬-ઓક્ટોબરના-૨૦૧૮ના રોજ ૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન રાજયભરમાંથી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સે ૩૭,૬૭૨ ઇમરજન્સી કોલ આવ્યા હતા. જેમાં તા.૩૧ ઓક્ટોબર-૨૦૧૮ સુધીમાં ૩૭ કરૂણા એમ્બ્યુલન્સ દ્વારા ૨૫,૫૬૪ કોલ સફળતાપૂર્વક પૂર્ણ કરીને પશુ-પંખીઓને બચાવવામાં આવ્યા છે.

(10:02 pm IST)