Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ચિરાત્ર્યના મુદ્દે પતિની શંકાથી કંટાળી લગ્નના આંઠ માસમાં પરિણીતાએ ફાસો ખાધો

વડોદરા: કારેલીબાગમાં કન્સ્ટ્રકશન સાઈટ પર પરિણીતાએ કરેલા આપઘાતના બનાવમાં પરિણીતાનો પતિ તેના ચારિત્ર્ય અંગે શંકાઓ કરી ત્રાસ ગુજારતો હોવાનું કારણ સપાટી પર આવ્યું હતું.મધ્યપ્રદેશના જામ્બુજા જિલ્લાના સાલકિયા ગામની ૨૫ વર્ષીય સુનિતાનું લગ્ન આઠ માસ અગાઉ જામબ્વુવા જિલ્લાના રેતાલુંજા ગામના નરેશ કાળુ મહિડા સાથે થયું હતું. લગ્ન બાદ સુનિતા પર તેના પતિએ ચારિત્ર્યના મુદ્દે શંકા રાખી તેને ઘરમાંથી કાઢી મુકી હતી પરંતું બંને પક્ષનો વડીલોએ સમાધાન કરાવતા તે પાછી સાસરીમાં ગઈ હતી. અઢી માસ પહેલા સુનિતા તેના પતિ સાથે વડોદરામાં મજુરી કામ માટે આવી હતી અને દંપતી કારેલીબાગ-સમારોડ પર નવી બંધાતી કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરી ત્યાં જ રહેતું હતું. અત્રે પણ પતિ ચારિત્ર્યના મુદ્દે શંકાઓ રાખી મારઝુડ કરતો હોઈ સુનિતાએ આ અંગેની તેની બેનને જાણ કરી તેને અંહીથી લઈ જવા માટે વિનંતી કરી હતી. પિયરિયા તેને લઈ જાય તે અગાઉ તેણે ૩૦મી તારીખની મોડીરાત્રે બાથરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવની સુનિતાની માતાએ સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરેશ મહિડા સામે આપઘાતની દૂષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
 

(3:57 pm IST)