Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ખોડલધામે કોઇ પક્ષનો પ્રચાર કર્યો નથી, લોકો પોતાની રીતે મતદાન કરે : લોકોમાં નિરાશા છે પણ પરિણામમાં ખબર પડશે:નરેશભાઈ પટેલ 

 ખોડલધામના ચેરમેન નરેશ પટેલે લોકોને પોતાની રીતે મતદાન કરવા અપીલ કરી હતી

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પ્રથમ તબક્કા માટે મતદાન થઇ રહ્યુ છે. આ વચ્ચે ખોડલધામના ચેરમેન નરેશભાઈ  પટેલે લોકોને પોતાની રીતે મતદાન કરવા અપીલ કરી હતી. નરેશભાઈ  પટેલે કહ્યુ કે ખોડલધામ કોઇ પક્ષ સાથે નથી, ખોડલધામે કોઇ પક્ષનો પ્રચાર કર્યો નથી, લોકો પોતાની રીતે મતદાન કરે. વધુમાં નરેશ પટેલે કહ્યુ કે, લોકોમાં નિરાશા છે પણ પરિણામમાં ખબર પડશે.

(9:04 pm IST)