Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

કર્ફયુના નવા જાહેરનામાનો કડક અમલઃ ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ

રાતે ૧ થી સવારના ૫ સુધી કર્ફયુઃ ૧૦ ડિસેમ્બર સુધીનું જાહેરનામુ

રાજકોટ તા. ૧: ગુજરાત સરકારે કર્ફયુનું જાહેરનામુ આગામી ૧૦મી ડિસેમ્બર સુધી લંબાવ્યું છે. ત્યારે શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે પણ અગાઉના કર્ફ્યુને લગતાં જાહેરનામામાં સુધારો કરી ૧૦મી સુધી જાહેરનામુ લંબાવ્યું છે. નવા જાહેરનામાનો કડક અમલ કરાવવામાં આવશે તેમ તેમણે જણાવ્યું છે. લોકોને રાત્રીના ૧ થી સવારના ૫ સુધી ઘરની બહાર ન નીકળવા અને કોરોનાને લગતાં કર્ફયુના આદેશનું પાલન કરવા અનુરોધ કરાયો છે. જેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બાકીના નિયમો અગાઉની જેમ જ યથાવત રહ્યા છે. જાહેરનામુ તા. ૧૦ ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

(2:51 pm IST)