Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

નિત્યાનંદ આશ્રમ વિવાદ : ઝડપાયેલી બે સાધ્વીના જમીનનો ચુકાદો સોમવાર પર મુલતવી રખાયો

અમદાવાદ : નિત્યાનંદ આશ્રમમાં બે યુવતીના અપહરણ કરી ગોંધી રાખવાના કેસમાં ઝડપાયેલી બે સાધ્વીઓની જામીન અરજી સંદર્ભે સરકાર તરફે રજૂઆત થઇ હતી. આ ગંભીર ગુનો છે. હજુ યુવતીઓ મળી નથી. મુખ્ય આરોપી નિત્યાનંદ હજુ ફરાર છે. જામીન અપાય તો સાક્ષી ફોડવાની શક્યતા છે. તેથી જામીન ન આપવા જોઇએ. જો કે, સાધવીઓ તરફે ખોટી રીતે કેસ કરી ફસાવવામાં આવ્યા હોવાનો બચાવ રજૂ કરવામાં આવ્યો હતો. બંન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આ મામલે ચુકાદો સોમવાર પર મુલતવી રાખ્યો છે. નોંધપાત્ર છે કે નિત્યાનંદ આશ્રમમાં યુવતીઓને ગેરકાયદેસર ગોંધી રાખવાંની બાબતે પોલીસે બે સાધિકાની ધરપકડ કરી છે.

(9:45 pm IST)