Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોના દેવા માફ કરાશે ;વીજળી અને રોજગારીના પ્રશ્નો ઉકેલાશે :ભરતસિંહ સોલંકી

અમદાવાદ ;રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપ પર આકરા પ્રહાર કર્યા. ભરતસિંહે જણાવ્યું કે કોંગ્રેસ માટે મહત્વના મુદાઓ ગુજરાતના ખેડૂત અને બેરોજગારીના છે. રાજ્યમાં ૩૦ લાખ બેરોજગાર યુવાનો છે. કોંગ્રેસ પ્રજાના આશિર્વાદથી સરકાર બનાવશે તો ખેડૂતોના દેવા માફ કરી ખેડૂતોને વિજળી અને રોજગારી જેવા પ્રશ્નો ઉકેલાશે .

 

(11:17 pm IST)