Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

આણંદના રામપુર પાટિયા પાસે સરકાર બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 5 વિદ્યાર્થીઓને ઇજા

આણંદ:શહેરના ભાદરણ-કિંખલોડ રોડ પર અકસ્માતની ઘટના બની છે. ભાદરણ-કિંખલોડ રોડ પરના રામપુર પાટિયા પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કેટલાક લોકો ઘવાયા પણ છે.

એસટી બસ અને ટ્રક બંને સામસામે આવી જતાં અકસ્માત સર્જાયો હતો, તેથી બંનેના આગળના ભાગને નુકશાન થયું હતું. જો કે તેમ છતાં બંનેના ડ્રાઈવરોને કોઈ મોટી ઈજા થઈ નથી.

આ અકસ્માતમાં એસટી બસમાં બેઠેલ 4 થી 5 બાળકો એટલે કે વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ પણ થઈ છે. જો કે તેમની સ્થિતિ ગંભીર નથી. અન્ય કોઈને ઈજા થયાના સમાચાર પ્રાપ્ત થયા નથી.

આ ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતના કારણે ભાદરણ-કિંખલોડ રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

(5:54 pm IST)