Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

વરાછામાં પટેલ પરિણીતા પર સસરાએ બળાત્કાર ગુજારતા ચકચાર

સુરત:શહેરના વરાછાના પટેલ પરિવારમાં સસરાએ પુત્રવધૂ પર પાશવી બળાત્કાર ગુજાર્યો હોવાનો મામલો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ હતી. મળસકે નાસ્તો બનાવવા ઉઠેલી પુત્રવધૂને મોઢે રૃમાલ બાંધી દઇ સસરાએ કુકર્મ આચર્યુ હતું અને બાદમાં ધાક-ધમકી પણ આપી હતી. વરાછા પોલીસે ગુનો નોંધી બળાત્કારી સસરાની શોધખોળ આદરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમામે વરાછા, એલ.એચ.રોડ પર બરોડા પ્રિસ્તેજ પાસે કચ્છી પટેલ પરિવાર રહે છે. આ પરિવારમાં સસરાએ સગાની દીકરાની પત્ની એટલે કે પુત્રવધૂ પર દાનત બગાડી બળાત્કાર ગુજાર્યો હતો. આ પરિવારનું કામરેજ ખાતે એમ્બ્રોઇડરી યુનિટ આવેલું છે. પીડિતા પરિણીતાને ગત વર્ષે જ લગ્ન થયા હતા. જેઠ-જેઠાણી વતન જતા ૨૫ વર્ષીય પરિણીતા ભત્રીજાનો નાસ્તો તૈયાર કરવા માટે ગત તા. ૨૭મીએ મળસકે સાડા ચાર વાગ્યે ઉઠયા હતા. જ્યાં ડ્રોઇંગ રૃમમાં સૂતેલા ૫૨ વર્ષીય સસરા મગનભાઇની નજર પરિણીતા પર બગડી હતી.

પીડિતાનો પતિ અને સાસુ પોત-પોતાના રૃમમાં સૂતા હતા ત્યારે સસરાએ પુત્રવધૂને બાહુપાશમાં જકડી લઇ મોઢે રૃમાલ બાંધી દીધો હતો અને ત્યારબાદ પરિણીતા પર રેપ ગુજાર્યો હતો. દુષ્કૃત્ય આચર્યા બાદ તું આ બાબતે કોઇને પણ વાત કરશે તો તને મારા દીકરાથી છૂટું કરાવી દઇશ એવી ધમકી પણ આપી હતી. કુકર્મ બાદ સસરા મગનભાઇ નાસી છૂટયા હતા. પીડિતા પુત્રવધૂની ફરિયાદના આધારે વરાછા પોલીસે સસરા સામે ગુનો નોંધ્યો હતો.

 

(5:53 pm IST)