Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

આંકલાવ તાલુકાના ભેટાસી વાંટામાં રાત્રીના સુમારે જુના ઝઘડાની અદાવત રાખી કપાળ પર લાકડી ફટકારતા સારવાર અર્થે ખસેડાયો: ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી

આંકલાવ: તાલુકાના ભેટાસી વાંટા ગામે ગત ૨૭મી તારીખના રોજ રાત્રીના સુમારે અનિલકુમાર હરવતસિંહ રાજ અને મહેશભાઈ રાજુભાઈ ભરવાડના છોકરા રમતાં-રમતાં ઝઘડ્યા હતા.

જેથી મહેશભાઈ ભરવાડ, કરશનભાઈ ભવાનભાઈ ભરવાડ, ભવાનભાઈ ટપુભાઈ ભરવાડ અને ગોકળભાઈ ટપુભાઈ ભરવાડે ઝઘડો કરીને ગમે તેવી ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો અને મહેશભાઈએ પોતાની પાસેનો લાકડાનો ડંડો અનિલકુમારને માથામાં મારી દેતાં ઈજાઓ પહોંચી હતી ત્યારબાદ ચારેય શખ્સો જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા. આંકલાવ પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.


 

(5:44 pm IST)