Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ઘંટાકર્ણ મહાવિર પ્રભુના દર્શન કરતા વિજયભાઇ-અંજલીબેન

ગાંધીનગર પાસે આવેલ વિશ્વ પ્રસિધ્ધ જૈન તીર્થ મહુડી ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને શ્રીમતી અંજલીબેને ઘંટાકર્ણ વિર પ્રભુના દર્શન કર્યા હતા. વિજયભાઇ -અંજલીબેને પ્રભુજીની આરતી ઉતારી હતી. મુખ્યમંત્રશ્રી વિજયભાઇએ સમગ્ર ગુજરાતની સુખ, શાંતિ અને સમૃધ્ધી માટે પ્રભુજીને પ્રાર્થના કરી હતી. આ દરમિયાન મહુડી ખાતે વિશાળ સંખ્યામાં હાજર ભાવીકોનું વિજયભાઇએ અભિવાદન પણ જીલ્યું હતું.

(1:00 pm IST)