Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

શ્રી સ્વામિનારાયણ મંદિર, મોરડુંગરાનો ૩૫ મો પાટોત્સવ ઊજવાયો...

પંચમહાલઃ પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા તાલુકાનું મોરડુંગરા -  સાંપા ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રદ્ઘા અને આસ્થાનું પરમોચ્ચ સ્થાન છે. કુણ નદીના કાંઠે વસેલા મોરડુંગરા ગામમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્ત્।મપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આજથી ૩૫ વર્ષ પહેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. ઉતરોત્ત્।ર હરિભકતોની સખ્યા વધતાં ૧૬ વર્ષ પહેલાં વિશાળ જમીન લઇ નૂતન મંદિરમાં ભગવાનને બિરાજમાન કર્યા હતા. પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પંચ દિનાત્મક પાવનકારી અધ્યાત્મ વિચરણ દરમ્યાન અનેક ગામડાઓમાં પધરામણીઓ, વ્યસન મુકિત સભાઓ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દર્શનદાન અર્પતા સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના ૩૫ મા પાટોત્સવ પર્વે ષોડશોપચારથી પૂજન અર્ચન, અન્નકૂટ, આરતી, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણો, અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ, દ્રાક્ષનો હાર અર્પણ, સ્પોર્ટ્સ ક્ષેત્રે એવોર્ડ મેળવનારનું સન્માન વગેરે કાર્યક્રમો સુસંપન્ન થયા હતા. આ અણમોલા અવસરને માણવા હજજારોની સંખ્યામાં હરિભકતો અને ભાવિકો ઉમટ્યા હતા. 

(3:21 pm IST)