Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો: નવા 91 કેસ નોંધાયા:વધુ 135 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :મૃત્યુઆંક 11.034 થયો :કુલ 12.62.998 લોકોએ કોરોનાને હરાવ્યો

મોટાભાગના કેસ અમદાવાદ અને સુરતમાં નોંધાયા:રાજયમાં હાલમાં 810 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 91 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 135 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,62.998 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,034 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.07 છે

 રાજ્યમાં હાલ 810 એક્ટિવ કેસ છે.જેમાંથી 4 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 806 દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 91 કેસમાં અમદાવાદમાં 25,  સુરતમાં 25, વડોદરામાં 10, રાજકોટમાં 04, બનાસકાંઠામાં 03, નવસારીમાં 03, સુરત જિલ્લામાં 03, ગાંધીનગરમાં જિલ્લામાં 02, ગાંધીનગરમાં 02, મહેસાણામાં 02, સાબરકાંઠામાં 02, વલસાડમાં 02, આણંદમાં 01, ભાવનગરમાં 01, છોટા ઉદેપુરમાં 01, ખેડામાં 01, પાટણમાં 01, સુરેન્દ્રનગરમાં 01, તાપીમાં 01 અને વડોદરા જિલ્લામાં 01 કેસ નોંધાયો છે. 

(8:31 pm IST)