Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

આણંદ તાલુકાના સુંદણ ગામે સગીરાને ભગાડી દુષ્કર્મ આચરનાર નરાધમને અદાલતે 10 વર્ષની સજાની સુનવણી કરી

આણંદ : આણંદ તાલુકાના સુંદણ ગામની સગીરાને ભગાડી લઈ જઈ તેણી ઉપર શારિરીક અત્યાચાર ગુજારવાના બનાવમાં આણંદની કોર્ટે સગીરાને ભગાડી જનાર આંકલાવના હળદરીના યુવકને તકસીરવાન ઠેરવી દસ વર્ષની સખત કેદની સજા તેમજ મદદગારી કરનાર અન્ય બે યુવકોને સાત-સાત વર્ષની સખત કેદની સજાનો હુકમ સંભળાવ્યો હતો. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના હળદરી ગામે વાંટા વિસ્તારમાં કાળકા માતાના મંદિર નજીક રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે કાળીયો કનુભાઈ ગોહેલને સુંદણ ગામની એક સગીરા સાથે આંખ મળી ગઈ હતી. દરમ્યાન તા.૩ ડીસેમ્બર-૨૦૧૩ના રોજ આ સગીરાને લલચાવી પટાવી લગ્ન કરવાની લાલચ આપી મોટરસાયકલ ઉપર તે ભગાડી લઈ ગયો હતો અને ત્યારબાદ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.  સગીરાને ભગાડી જવામાં હળદરી ગામના ભાવિનકુમાર ઉર્ફે મધડો ઉર્ફે જગદીશ અભેસિંહ પરમાર તથા બોરસદ તાલુકાના દાવોલ ગામના ઈન્દિરા નગરી ખાતે રહેતો જગદીશ ઉર્ફે ગગો રવિન્દ્રભાઈ જાદવે મદદગારી કરી હતી. આ અંગે સગીરાના પિતાએ વાસદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે મહેન્દ્રભાઈ ઉર્ફે કાળીયો સહિત ત્રણ વ્યક્તિઓ વિરુધ્ધ ગુનો નોંધી ત્રણેયને સપ્ટેમ્બર-૨૦૧૪માં ઝડપી પાડી તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ રજુ કરી હતી.

(4:58 pm IST)