Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

એડવોકેટની યુવાન પત્ની બે માસૂમ પુત્રો સાથે જીવતી સળગી : આત્મહત્યા

ગૃહ કંકાશે વધુ એક પરિવારને વીંખી નાખ્યો

અમદાવાદ તા. ૧ : સરખજમાં ઉઝાલા સર્કલ પાસેના એક એપાર્ટમેન્ટમાં વકીલની પત્નીએ બે બાળકો સાથે કેરોસીન છાંટીને સામુહીક આપઘાત કર્યો હતો. પત્નીનું બાથરૂમમાં મોત થયું હતું. જયારે બે માસૂમ બાળકોનું વાડીલાલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આ બનાવ અંગે સરખેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે સરખેજ વિસ્તારમાં ઉઝાલા સર્કલ પાસે આવેલા પાર્વતીનંદન પાર્ક ખાતે રહેતા સત્યેન્દ્ર ચતુર્વેદી વકીલની પત્ની નેહાબહેન ઘરમાં બાળકો સાથે એકલા હાજર હતા ત્યારે કોઇક અગમ્ય કારણોસર બેડ રૂમમાં પોતાના વ્હાલ સોયા કુલદીપ (ઉ.વ.૫) તથા સચીન ( ઉ.વ.૩ ) નામના બાળકો પર કરોસીન છાંટીને સળગાવ્યા હતા ત્યારબાદ બાથરૂમમાં જઇને અંદરથી દરવાજો બંધ કરીને પોતે પણ અગ્નિસ્નાન કર્યુ હતું.

ઘરમાંથી ધૂમાડા નીકળતા સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા જો કે તુરંત પરિવારજનો આવી પહોચીને તપાસમાં કરતાં બે માસુમ બાળકો આખા શરીરે સખત રીતે દાઝી ગયા હતા, જયારે બાથરૂમનો દરવાજો તોડીને જોયું તો નેહાબહેનનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. બાળકોને પ્રથમ નજીકની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વાડીલાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન બેન્ને બાળકોના મોત નીપજયા હતા.

સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી.આર.રામાણીના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમા પતિ પત્ની વચ્ચે કોઇક બાબતે તકરાર થઇ હતી. જેથી ંગૃહ કલેશના કારણે મનમાં લાગી આવતાં મહિલાએ જવલનશીલ પદાર્થે બે માસુમ બાળકો અને પોતાના પર છાંટીને સળગી જઈને સામુહીક આપઘાત કર્યો હતો.

(3:55 pm IST)