Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

અમદાવાદમાં પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી ચપ્પુ ઘુસાડી દીધું

અમદાવાદ: ગીતામંદિર વિસ્તારમાં લાટી બજાર પાસેની ચાલીમાં પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતિએ ચાકુથી ગળુ કાપીને પત્નીની ક્રૂરતા પૂર્વક હત્યા કરી હતી. આશ્ચર્યની વાત તો છે કે પત્ની લોહીના ખાબોચિયામાં તરફડીયા મારી રહી હતી ત્યારે પતિ સામે ઉભો હતો. કાગડાપીઠ પોલીસે ખુનનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કેસની વિગત એવી છે કે ગીતામંદિર બસ સ્ટેન્ડ નજીક લાટી બજાર નંબર- પાસે પઠાણની ચાલીમાં રહેતા અને છુટક મજૂરી કરતા અશોકભાઇ પોપટભાઇ બોરિસાની પત્ની ઘરેથી કામે જતી હતી ત્યારે પતિ તેના પર શંકા રાખતો હતો જેને લઇને બન્ને વચ્ચે એક સપ્તાહથી તકરાર ચાલતી હતી આજે બપોરે મુદ્દે તકરાર થતાં ઉશ્કેરાઇ જઇને અશોક પોતાની પત્નીના ગળા સહિત શરીરના ભાગે ચાકુના ઘા મારીને હત્યા કરી હતી. ક્રૂરતા પૂર્વક હત્યા કર્યા બાદ પત્ની લોહીના ખાબોચિયામાં તરફડિયા મારી રહી હતી છતાં તે સામે ઉભો હતો, ત્રણ માસુમ બાળકો કલ્પાત કરી રહ્યા હતા. બનાવની જાણ થતાં કાગડાપીઠ પોલીસે આવીને આરોપીની ધરપકડ કરીને તેની સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીએ ૧૪ વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા આજની ઘટનામાં કરુણ બાબત છે માતાનું મોત થયું અને પિતા જેલમાં જતાં ત્રણ બાળકો નિરાધાર બની ગયા છે.

(2:42 pm IST)