Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

બાલાસિનોર પાસેના ખોખરવાળા ગામે બાઈક આડે પશુ આવતા ત્રણને ઇજા

બાલાસિનોર: કઠલાલ- બાલાસિનોર હાઈવે ઉપર ગઈકાલે સાંજે ખોખરવાડા નજીક પશુ સાથે મોટર સાયકલ અથડાતા ત્રણ જણાંને ઈજા થઈ હતી. બનાવ અંગે કઠલાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કઠલાલ તાલુકાના વિશ્વનાથપુરામાં રહેતા પ્રવિણભાઈ ચીમનભાઈ પરમાર ગત તા. ૨૮--૨૦૧૮ને સાંજે મોટર સાયકલ નં. જીજે ૦૭ સીએન ૪૮૮૯ ઉપર સંબંધીને બેસાડી કઠલાલ-બાલાસિનોર હાઈવે પરથી જતો હતો ત્યારે ખોખરવાડ પાટીયા નજીક રોડ ઉપર ગધેડો આડો આવતા મોટર સાયકલ ગધેડા સાથે અથડાતા સ્લીપ ખાઈ ગઈ હતી. જેથી બાઈક ચાલક તેમજ પાછળ બેઠેલાઓને માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી. બનાવ અંગે પ્રવિણભાઈ ચીમનભાઈ પરમારની ફરિયાદ આધારે કઠલાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 

(2:42 pm IST)