Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

સરકાર અમારી માંગણી નહીં સ્વીકારે તો ઉગ્ર વિરોધ કરશું :લાલજી પટેલ

ઉમિયાધામ,સીદસર બાદ એસપીજી પણ મેદાને :કાર્યકરો સાથે હાર્દિક પટેલની મુલાકાત કરે તેવી શકયતા

અમદાવાદ :અમરાણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલ મામલે એસપીજીના લાલજી પટેલે નિવેદન સરકાર આપ્યુ છે. લાલજી પટેલે જણાવ્યુ કે, સરકારે સમાધાન કરવા પ્રતિનિધિ મોકલવા જોઈએ. જો સરકાર અમારી માગણી પુરી નહીં કરે તો એસપીજી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે. લાલજી પટેલે વધુમાં જણાવ્યુ કે, સરકાર 2019 માં પરિણામ ભોગવવા તૈયાર રહે. આજે બપોરે લાલજી પટેલ એસપીજીના કાર્યકરો સાથે મળીને હાર્દિક પટેલ સાથે મુલાકાત કરવાના છે.

(1:32 pm IST)