Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

હાર્દિક પટેલની મુલાકાતે પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાના વડાઓ પહોંચ્યા :જેરામ બાપાએ હાર્દિકને મળીને કહ્યું કે સરકારે પાટીદાર સમાજની લાગણીને સમજવી જોઈએ

અમદાવાદ :હાર્દિક પટેલની મુલાકાત લેવા માટે પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાના વડાઓ પહોચ્યા છે. ઉમીયા ધામ અને સીદસરની ધાર્મિક સંસ્થાના વડા સહિત જેરામ બાપાએ મુલાકાત કરી છે. સંસ્થાના વડાઓએ હાર્દિક પટેલ સાથે વાતચીત કરી હતી.

 ધાર્મિક સંસ્થાના વડાઓએ મીડિયા સાથે વાતચીત દરમ્યાન જણાવ્યુ કે, સરકારે પાટીદાર સમાજની લાગણીને સમજવી જોઈએ. સંસ્થાઓ પાટીદાર સમાજની માગ અંગે સતત વાટોઘાટો કરી રહી છે.   હવે સમય આવી ગયો છે કે, પાટીદાર અનામત આંદોલન અંગે સમાધાન આવી જશે.

(1:28 pm IST)