Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ગાંધીનગરના કલોલથી મામલતદારની મોરબી જીલ્લામાં બદલી

મોરબી તા.૧: રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના વિવિધ જીલ્લામાં ફરજ બજાવતા મામલતદારની બદલીઓ કરવામાં આવી છે મામલતદાર અને કૃષિ પંચની જગ્યાની કામગીરી જે તે વિસ્તારના તાલુકા મામલતદારને સોપવા તેમજ મામલતદાર (નાની બચત) ની જગ્યાઓ રદ કરી તેની સામે નવી સીટી મામલતદારની જગ્યાઓ ઉભી કરવાની હોય જેથી રાજ્યના ૨૧ મામલતદારની બદલી કરવામાં આવી છે જેમાં ગાંધીનગરના કલોલમાં ફરજ બજાવતા એન.બી.રાઠોડની બદલી મામલતદાર (ચુંટણી) કલેકટર કચેરી મોરબી ખાતે કરવામાં આવી છે.

(11:58 am IST)