Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

નર્મદા જિલ્લામાં વ્યસન મુક્તિ અભિયાન ચલાવનારા શ્રી હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહને ભાવાંજલિ આપતા સંસદ મનસુખભાઇ વસાવા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેશ -વિદેશમાં ભગવાન સ્વામીનારાયણનો સંદેશ જન જન સુધી પહોંચાડનાર તથા વ્યસન મુક્તિ અભિયાન દ્વારા ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના તથા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા, નાંદોદ તાલુકાના લોકોને વ્યસન મુક્તિના દુષણોથી દૂર કરીને સમાજને આધ્યાત્મિકતાના માર્ગ પર લઈ જનારા, યોગી ડીવાઈન સોસાયટીના પ્રણેતા, કરોડો યુવાનોને સાચો માર્ગ બતાવનાર પરમ પૂજ્ય તથા પરમ વંદનીય બ્રહ્નલીન શ્રી હરિપ્રસાદ સ્વામીજીના  સ્વામિનારાયણ મંદિર, હરિધામ- સોખડા ખાતે સંસદ મનસુખભાઇ વસાવાએ જઈ સ્વામીજીના પવિત્ર પાર્થિવ દેહના દર્શન કરીને ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પિત કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

 

(10:57 am IST)