Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

અમદાવાદની રથયાત્રા શુભ શુકન, અમી છાંટણા થયા, ભાવિકો ભાવવિભોર

ભાવિકોની લાગણી અને માંગણી જગન્‍નાથજી દ્વારા વર્ષા રૂપે તુરંત પૂર્ણ

 રાજકોટ, તા.૧:    અમદાવાદની અભૂતપૂર્વ રથયાત્રાનો પ્રારંભ થાય બાદ ભગવાન જગન્‍નાથજી યાત્રાના રૂટ પર અર્થાત્‌ રથ યાત્રા પર અષાઢી બીજનાં દિવસે અમી છાટણા થતાં ભાવિકો ભાવ વિભોર બની ગયા છે, બીજા શબ્‍દોમાં અષાઢી બીજના પવિત્ર દિવસે આ રીતે શુકન સાચવતા જગતના તાતમા પણ ખુશાલીનો માહોલ પ્રગટયો છે.                        
મુખ્‍ય મંત્રી દ્વારા પહિનદ વિધિ બાદ લોકોની સુખાકારી માટે માંગણી કરવા સાથે ભાવિક ભક્‍તો દ્વારા પર ભગવાન જગન્‍નાથજી પાસે સારા વરસાદની જે વિનવણી કરી હતી તે વિનવણી ભગવાન જગન્‍નાથજી દ્વારા નગર ચર્યા સમયે જ પૂર્ણ કરવામાં આવી છે.

 

(3:55 pm IST)