Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

અમદાવાદમાં રથયાત્રાની પૂર્વ સંધ્યાએ પીએમ મોદીએ જગન્નાથ મંદિરે મોકલેલો પ્રસાદ ભગવાનને ધરાવાયો

પ્રસાદમાં અલગ અલગ ચાર ટોકરીમાં ડ્રાયફ્રૂટ, સુકા મેવાનો પ્રસાદ મોકલવામાં આવ્યો

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા છે. ત્યારે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ભગવાનના દર્શન માટે ઉમટી પડશે. રથયાત્રામાં નગરજનો ભાવિક ભક્તો, અખાડા તેમજ વિવિધ ભજન મંડળીઓ જોડાશે. જેમાં પીએમ મોદીના હસ્તે જગન્નાથ મંદિરે પ્રસાદ મોકલવામાં આવ્યો હતો. આ પ્રસાદને ભાજપ નેતાઓ મંદિરે લઇને પહોંચ્યા છે. દર વર્ષે જગન્નાથ યાત્રાની પૂર્વ સંધ્યાએ પીએમ મોદી દ્વારા મોકલાયેલો પ્રસાદ ધરાવાય છે. આ પ્રસાદમાં અલગ અલગ ચાર ટોકરીમાં ડ્રાયફ્રૂટ, સુકા મેવાનો પ્રસાદ મોકલવામાં આવ્યો છે.

(12:58 am IST)