Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

વિરમગામના કમીજલા ખાતે ભારતમાતા મંદિર માં સફાઈ અભિયાન હાથ ધરાયું

ભારતમાતા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલા કમીજલા ખાતે ભારતમાતા મંદિરમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. ભારતમાતા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ તાલુકા પંચાયત ઉપ પ્રમુખ મફાભાઈ ભરવાડ, વિરમગામ તાલુકા સંયોજક રસિકભાઈ, સહ સંયોજક  શૈલેષભાઇ સાથે સ્થાનિક યુવા બોર્ડ સદસ્ય હાજર રહ્યા હતા.( તસવીર - રસીક કોળી (રૂપાવટી)

(7:00 pm IST)