Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

હિંમતનગર તાલુકાના અદાપુર ગામે મહિલા પાસેથી પૈસા લઇ વિશ્વાસઘાત આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

હિંમતનગર:તાલુકાના અદાપુર ગામના દિવાનસિંહ નટવરસિંહ ચૌહાણએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત તા.૧-૧-૨૦૧૮ થી તા.૩૦-૦૯-૨૦૧૮ દરમિયાન હિંમતનગરના જુની સિવિલ સર્કલ નજીક એક કોમ્પ્લેક્ષમાં ચાલતી મુથુટ માઈક્રોફીન કંપની ધ્વારા કેટલાક મહિલા ગૃપોને લોન આપવામાં આવી હતી. જેની ઉઘરાણી માટેની જવાબદારી ફીલ્ડ ઓફિસર તરીકે નોકરી કરતા તથા માથાસુરીયા ગામના વિજયસિંહ રાજુસિંહ પરમારને સોંપવામાં આવી હતી.

ફરજના ભાગરૂપે વિજયસિંહ પરમારે મુથુટ માઈક્રોફીન કંપનીમાંથી લોનના હપ્તા પેટે હિંમતનગર તાલુકા સહિત અન્ય સ્થળે જઈને મહિલા ગૃપો પાસેથી અંદાજે રૃા.૬.૧૮ લાખ ઉઘરાવી લીધા હતાં. પરંતુ તેમણે આ રકમ કંપનીમાં જમા કરાવવાને બદલે અગમ્ય કારણોસર પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતાં. જે અંગે કંપનીના અધિકારીઓએ વિજયસિંહને નાણા ભરી દેવા માટે તાકીદ કરી હોવા છતા નાણા જમા કરાવાયા ન હતાં. જેથી દિવાનસિંહ ચૌહાણે મહિલા ગૃપો તથા કંપની સાથે વિશ્વારઘાત અને છેતરપીંડી કરવા બદલ હિંમતનગર બીડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી.

(5:23 pm IST)