Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ગરબા ગાયક અતુલ પુરોહિતે કરાવી નામની પેટન્ટ

અતુલ પુરોહિતના મધુર અવાજના પ્રશંસકો માત્ર ગુજરાત પૂરતા જ સીમિત નથી, સાત સમુદ્ર પાર જેમ કે અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા તેમજ અન્ય દેશો જયાં ગુજરાતીઓ વસે છે ત્યાં પણ તેમની ખ્યાતિ એટલી જ છે : નામની નોંધણી ટ્રેડમાર્ક અને કોપીરાઈટ્સના કાયદા હેઠળ કરાવી છેઃ જેથી હવે તેમની મંજૂરી વગર તેમના નામનો ઉપયોગ નહીં કરી શકાય

વડોદરા, તા.૧: લોકગરબા વગર નવરાત્રીની રમઝટ અધૂરી છે અને જો તે લોકગરબા ગાયક અતુલ પુરોહિત દ્વારા ગાવામાં આવે તો તો કહેવું જ શું. અતુલ પુરોહિત, જેઓ દર વર્ષે ગરબાના ઉત્સાહને બમણો કરી દે છે, તેમના મધુર કંઠના ન માત્ર રાજયમાં પરંતુ આખી દુનિયામાં પ્રશંસકો છે.

તેમની કળાને સુરક્ષિત રાખવા માટે ૬૪ વર્ષના ગાયક તેવા અતુલ પુરોહિતે પોતાની ટ્રેડમાર્ક અને કોપીરાઈટ્સના કાયદા હેઠળ નોંધણી કરાવી છે. પેટન્ટની સાથે, પુરોહિત હવે સત્તાવાર રીતે પોતાનામાં જ એક બ્રાન્ડ બની ગયા છે.

' વર્ષોથી લોકો મારી મંજૂરી વગર મારા નામનો અને ગીતોનો ઉપયોગ તેમના વીડિયો, ળ્ં્યવ્યણુફૂ ચેનલ, મોબાઈલ એપ્લિકેશનમાં તેમજ ઈવેન્ટમાં કરી રહ્યા હતા. આ ભવિષ્યમાં મારા માટે સમસ્યાઓનું કારણ બની શકે છે અને તેથી જ મેં મારું નામ સત્તાવાર રીતે ટ્રેડમાર્ક રજિસ્ટ્રીમાં નોંધાવવાનું નક્કી કર્યું હતું', તેમ અતુલ પુરોહિતે જણાવ્યું હતું.

'લોકો મારા નામનો તેમજ ગરબા ગીતનો ઉપયોગ કરે તેમાં મને સહેજ પણ વાંધો નથી પરંતુ તેમ મારી મંજૂરીથી થવું જોઈએ. હવેથી મારું નામ તેમજ તસવીરો કોપીરાઈટ કાયદા હેઠળ સુરક્ષિત છે', તેમ પુરોહિતે ઉમેર્યું હતું, જેઓ છેલ્લા ત્રણ દશકાથી શહેરના સૌથી પોપ્યુલર ગરબા સ્થળમાંથી એક તેવા યુનાઈટેડ વે ઓફ ગરબા સાથે સંકળાયેલા છે.

અતુલ પુરોહિતના મધુર અવાજના પ્રશંસકો માત્ર ગુજરાત પૂરતા જ સીમિત નથી, સાત સમુદ્ર પાર જેમ કે અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા તેમજ અન્ય દેશો જયાં ગુજરાતીઓ વસે છે ત્યાં પણ તેમની ખ્યાતિ એટલી જ છે. જેમ-જેમ તેમની લોકપ્રિયતા વધતી ગઈ તેમ-તેમ લોકોએ તેમની વેબસાઈટ, ઓનલાઈન ચેનલ, લાઈવ પર્ફોર્મન્સ તેમજ ફિલ્મોમાં પણ તેમના નામનો ઉપયોગ કરવા લાગ્યા હતા.

' કોઇ પણ હવે તેમની મંજૂરી વગર તેમના નામનો ઉપયોગ કોમર્શિયલ હેતુથી કરી શકશે નહીં. અતુલ પુરોહિત પર તેમનો એકલાનો હક છે', તેમ અતુલ પુરોહિતના નામની નોંધણી કરાવનારા અને ઈન્ટેલેકચુઅલ પ્રોપર્ટી રાઈટ્સ (ત્ભ્ય્)ના કાયદાના નિષ્ણાત વકીલ યશ સૂર્યાવાલાએ જણાવ્યું હતું.

સામાન્ય રીતે કંપનીઓ અને ઓર્ગેનાઈઝેશન ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કરાવતી હોય છે, પરંતુ અતુલ પુરોહિત રાજયના પહેલા એવા આર્ટિસ્ટ છે જેમનું નામ ટ્રેડમાર્ક અને કોપીરાઈટના કાયદા હેઠળ રજિસ્ટર કરવામાં આવ્યું છે.

અતુલ પુરોહિતે તેમની ત્રણ તસવીરોનું પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેનો ઉપયોગ હવેથી ફકત તેમની પરવાનગીથી જ થઈ શકશે. સૂર્યવાલાએ કહ્યું હતું કે, તેમનું નામ ટ્રેકમાર્ક રજિસ્ટ્રીમાં નોંધણી કરવાની પ્રક્રિયા ગયા વર્ષના જુલાઈમાં શરૂ થઈ હતી અને આ વર્ષે તેમને ટ્રેડમાર્કના રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ મળ્યું છે.

(10:20 am IST)