Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ગુજરાતના રાજકારણમાં ગરમાવો:ઔવેસીની પાર્ટીએ કહ્યું--કોંગ્રેસના 10થી 12 ધારાસભ્યો અમારા સંપર્કમાં

અનેક કોર્પોરેટરો પણ અમારા સંપર્કમાં : ગુજરાત AIMIMના પ્રમુખ શાબીર કાબલીવાલાનો મોટો દાવો : જીતી શકાશે ત્યાં ચૂંટણી લડશું - અત્યાર સુધીમાં 70થી 75 સીટો પર સર્વે કર્યો

 

અમદાવાદ :કોંગ્રેસના કેટલાક નેતાઓ આમ આદમી પાર્ટીના સંપર્કમાં હોવાની અટકળો વચ્ચે ગુજરાત AIMIMના પ્રમુખ શાબીર કાબલીવાલાએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના 10થી 12 જેટલા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે તથા કોંગ્રેસના અનેક મનપાના કોર્પોરેટર અમારા સંપર્કમાં છે. કાબરીવાલાએ કહ્યું કે અમે સર્વે કરાવી રહ્યા છીએ જ્યાં જીતી શકાશે ત્યાં લડીશું અને અત્યાર સુધીમાં 70થી 75 સીટો પર સર્વે કર્યો છે. 

કોંગ્રેસમાં સતત અનિર્ણાયકતાને લઈને સીનિયર નેતાઓમાં નારાજગી ફેલાઈ છે. પહેલા તો કોંગ્રેસને ભાજપ સામે પડકાર રહેતો હતો. પરંતુ આ વખતની ચૂંટણીમાં કોંગ્રસને આપ સામે પણ પડકારો મળી રહ્યા છે. . કોંગ્રેસમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યો સતત આપના નેતાઓના સંપર્કમાં આવી રહ્યા છે. તેવી માહિતી સામે આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસમાં નેતૃત્વ મુદ્દે અસમંજસની પરિસ્થીતી છે. જેના કારણે નેતાઓમાં નારજગી જોવા મળી રહી છે.

(9:09 am IST)