Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ધનસુરા તાલુકાના વડગામ નજીક નદી કિનારે પથ્થર તોડવા ગયેલ માછીમારની કેપ ફાટતા કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું

ધનસુરા:તાલુકાના વડાગામ નજીક નદી કિનારે પથ્થર તોડવા માટે વપરાતી વિસ્ફોટક કેપ લઈ માછીમારી કરવા ગયેલા શખ્સની બેદરકારીથી કેપ ફાટતાં  શખ્સનું મોત નિપજયું હતું.જયારે તેની સાથે ગયેલા તેના ૧૪ વર્ષના ભત્રીજાને શરીરે ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જે ઘટના સંદર્ભે ધનસુરા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાઈ હતી.

ધનસુરા તાલુકાના વડાગામ રાજપુર નદી કિનારા નજીક રહેતા સોમાભાઈ કાનજીભાઈ પરમાર ઉ.વ.૩૩  રવિવાર ના રોજ વગરપાસ પરમીટે પોતાના કબ્જામાં પથ્થર તોડવાની કેપો રાખી અને પોતે એ કેપો ફોડવાથી કોઈને જાનમાલ,મિલક્તને નુકશાન થાય તેમ જાણ  હોવા છતાં તેન માઝુમ નદીના પાણીમાં જઈ તેની સાથે સગીરને લઈ જઈ નદીમાં માછી મારવા માટે કેપ ફોડવા બેદરકારી અને ગફલતભરી રીતે ફોડવાનું કૃત્ય કરતાં તેને પોતાને તથા સગીર ભત્રીજાના ને શરીરે ગંભીર ઈજાઓ થવાથી બંને ને સારવાર અર્થે લઈ જતાં હતા ત્યારે સોમાભાઈ કાનજીભાઈ પરમાર(ઉ.વ.૩૩) નું રસ્તામાં જ મોત નીપજયું હતું.જયારે ભત્રીજાને વાત્રક બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો. ઘટના સંદર્ભે ગીતાબેન કાનજીભાઈ પરમારે ધનસુરા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતાં ધનસુરા પીએસઆઈ પી.ડી.રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.

(5:56 pm IST)