Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

ગળતેશ્વર તાલુકાના સોનીપુરામાં ભરઉનાળે લોકો પાણીથી વંચિત:પીવાના પાણીની અછત સર્જાતા લોકોને ભારે હાલાકી

ગળતેશ્વર:તાલુકાના સોનીપુરા ગામના વણકરવાસમાં પાણીની મોંકાણ સર્જાઇ છે.ગામના છેવાડે આવેલ ફળીયામાં ટપક પધ્ધતિથી પીવાનું  પાણી આવતુ હોવાના કારણે આ વિસ્તારના લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર  સોનીપુરા ગામમાં આવેલ વોર્ડનં-૨માં રહેતા અનુસુચિત જાતિના લોકોને નિયમિત પીવાનુ પાણી મળી રહેતુ નથી.ગ્રામ પંચાયતના વોટર વર્કસમાંથી પાણી મળતુ ન હોવાનુ જણાવ્યુ હતુ.

આ અંગે ગામના રસીકભાઇનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે સોનીપુર ગ્રામ પંચાયત ઓફીસની પાછળના ભાગે આવેલ ગામના વોટરવર્કસથી ૫૦૦ થી વધુ મીટરના અંતરે સાંગોલ ગામ  તરફ જવાના રસ્તા પાસે આવેલ છે.આ ફળીયામાં ગામની પાણીની લાઇનમાં ૧૫૦ થી ૨૦૦ કનેકશનો છે.જેના કારણે સવારે નવ વાગ્યા થી બપોરના એક થી બે વાગ્યા સુધી પીવાનુ પાણી વોટરવર્કસનુ આવે છે.

(6:25 pm IST)