Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

સુરત અગ્નિકાંડ:સરથાણામાં સ્થાનિકોનું અર્ધનગ્ન પ્રદર્શન :'કયારે મળશે ન્યાય 'ની બેનર સાથે લોકો રસ્તા પર ઉતર્યા

અર્ધનગ્ન અવસ્થામાં સુરતના સુદામા ચોક ખાતે વિરોધ પ્રદર્શન

 

સુરત: સુરતના સરથાણામા તક્ષશિલા આર્કેડમાં 24મી મેના રોજ થયેલા અગ્નિકાંડ ઘટનામાં 22 લોકોના કરુણ મોત નીપજયા હતા, જ્યારે 15 થી વધુ લોકો ઇર્જાગ્રસ્ત બન્યા હતા. આ મામલે લોકોમાં રોષ દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. ન્યાય માટે આજે સુરતમાં સ્થાનિક લોકોએ અર્ધ નગ્ન હાલતમાં વિરોધ વ્યક્ત કર્યો હતો .

સુરતના સરથાણાના આગકાંડના પીડિતોને ન્યાય મળે તે માટે સ્થાનિક લોકોએ આજે અર્ધનગ્ન અવસ્થામાં સુરતના સુદામા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. 'ક્યારે મળશે ન્યાય'ના બેનરો લઈને અર્ધનગ્ન અવસ્થામાં લોકો રસ્તામાં ઉતરી આવ્યાં આવ્યાં હતાં અને વિરોધ વ્યક્ત કર્યો હતો.

(12:00 am IST)