Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

નર્મદા જિલ્લામાં કોરોના ફાટયો : શનિવારે ૪૯ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૩૨૧૯ પર પોંહોચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શનિવારે ૪૯ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં હરસિદ્ધિ નગર ૦૧, દરબાર રોડ ૦૧, માધવ બાગ ૦૧, રામબાગ ૦૧, રાજેન્દ્રનગર ૦૧, છત્ર વિલાસ ૦૧, લીમડા ચોક ૦૧ તથા નાદોદ તાલુકામાં તરોપા ૦૧, કરાઠા ૦૧, ખામર ૦૧, આમલેથા ૦૧, તવડી ૦૧, નાવરા ૦૧, વડીયા ૦૨, મોટા લીમટવાળા ૦૧, થરી ૦૧, લાછરસ ૦૧, શહેરાવ ૦૧, અણીજરા ૦૧, જેસલપુર ૦૧ તથા ગરુડેશ્વર તાલુકા માં ભાખર ૦૧, નવાગામ ૦૧, કેવડિયા ૦૧, વાઘડિયા ૦૧, વસંતપુરા ૦૧, ધનીયારા ૦૧, ખડગદા ૦૨, ઝરીયા ૦૧, કોઠી ૦૧ તથા તિલકવાડા તાલુકામાં ગેંગડીયા ૦૧, ઝાઝપુરા ૦૧, ઉતાવડી ૦૧, પહાડ ૦૧, વોરા ૦૧, કેસરપુરા ૦૧, કંથરપુરા ૦૧, નલગામ ૦૧, તિલકવાડા ૦૧, કઠોલી ૦૧, વજેરીયા ૦૧ તથા  ડેડીયાપાડા તાલુકામાં અરેઠી ૦૧, ડેડીયાપાડા ૦૧, ગંગાપુર ૦૧ તથા સાગબારા તાલુકામાં સેલંબા ૦૧, સાગબારા ૦૨, દેવમોગરા ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૪૯ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૪૬ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૮૨ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૮૦ દર્દી દાખલ છે, આજે ૪૧ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૯૫૨ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૩૨૧૯ પર પહોચ્યો છે.આજે વધુ ૧૫૫૬ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:31 pm IST)