Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

રાજપીપળામાં હોમ કરોન્ટાઇન 100 જેવા દર્દીઓને આજે પણ બર્ક ફાઉન્ડેશન સંસ્થા નિઃશુલ્ક ભોજન પૂરું પાડે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા તેમજ આજુબાજુના ગામોમાં વર્ષોથી સેવાકાર્ય કરતી બર્ક ફાઉન્ડેશન નામની સંસ્થા ની કોરોના કાળ થી અવિરત સેવા ચાલતી રહી છે જેમાં હાલમાં રાજપીપળા માં કોરોના ના કેસો માં વધુ પડતા દર્દીઓ હોમ કોરોન્ટાઈન થયા હોય એવા 100 જેવા દર્દીઓ સવાર-સાંજ નું મળી બે ટંક ભોજન બર્ક ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક આપવામાં આવે છે.આજે પણ કોરોનાગ્રસ્ત પરિવારના ભોજન માટે ફોન ચાલુ જ છે એ દરેક ને આ સંસ્થા જમવાનું પૂરું પાડે છે જેમાં શુદ્ધ સાત્વિક ઘરે બનાવેલું ભોજન પહોંચાડવામાં આવે છે સાથે બીજી પણ કોઈ મદદ ની જરૂર જણાઈ તો બર્ક ફાઉન્ડેશન ને ફોન કરો તેમની ફોન સેવા 24 કલાક ચાલુ છે તેમ બર્ક ફાઉન્ડેશન ના સંચાલક જ્યોર્જભાઈ એ જણાવ્યું હતું.

(11:03 pm IST)