Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

પીએમ મોદીના નાનાભાઈ પ્રહલાદભાઈ મોદીના પત્ની ભગવતીબેનનું નિધન :સાંજે અંતિમ સંસ્કાર

બીપી,કિડની ,ડાયાબિટીસ અને પેરાલિસિસથી પીડિત 55 વર્ષીય ભગવતીબેનએ સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નાનાભાઇ પ્રહલાદભાઇના પત્ની ભગવતીબેનનું 55 વર્ષની વયે નિધન થયું છે. ગુજરાતન સસ્તા અનાજ દુકાનદાર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદભાઇ મોદીના પત્નીનું સારવાર દરમિયાન નિધન થયું છે.જાણવા મળ્યા મુજબ 55 વર્ષીય ભગવતીબેન મોદી બીપી, કિડની, ડાયાબેટિસ, પેરાલિસિસના રોગથી પીડિતા હતા. જેમની સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં આજે  તેમનું નિધન થયું હતું.


વડાપ્રધાન મોદીના નાનાભાઇ પ્રહલાદભાઇ મોદીના પત્નીનું નિધન થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે. સિવિલ હોસ્પિટલમાંથી ભગવતીબેનના પાર્થિવ દેહને સેલેટલાઇટ નિવાસ સ્થાને લઇ જવામાં આવ્યો છે. અને સાંજે પાંચ વાગ્યે એસજી હાઇવે ઉપર આવેલા થલતેજ સ્મસાન ગૃહમાં વિધિવત રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ભગવતીબેનનું ડાયાબિટિસ વધતા તેમની તબિયત લથડી હતી અને જેના પગલે તેમને આજે સવારે સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સવારના 11 વાગ્યાના અસરામાં નિધન થયું હતું

(1:37 pm IST)