Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

નર્મદા જિલ્લામાં ફુંફાડો મારતો કોરોના : બુધવારે ૨૬ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૨૨૪૯ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૨૬ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં લુહાર ચાલમાં ૦૧, ઇન્દ્રપુરી મા ૦૧, વાડીફળિયામાં ૦૧, વિશ્વકર્મા મંદિર પાસે ૦૧, વિસાવગામાં ૦૧, કાળિયાભૂત પાસે ૦૧, રત્નદીપ માં ૦૧, સોલંકીવાસ માં ૦૧ તથા નાંદોદના વડીયામાં ૦૨, સિસોદ્રા માં ૦૧, ખૂંટાઆંબામાં ૦૨, કોઠારામાં ૦૧, કુમસગામ માં ૦૧, જુનાઘાટામાં ૦૧ તથા ગરુડેશ્વરના નવાવાઘપુરા માં ૦૧, મોટાપીપરીયા માં ૦૧, કેવડિયામાં ૦૨ તથા તિલકવાડા ના દેવલિયામાં ૦૧, ફતેપુરામાં ૦૧ તથા દેડિયાપાડાના સોલીયામાં ૦૧, કાલબી માં ૦૧ તથા સાગબારા ના કોલવાણમાં ૦૧, ગોટપાડામાં ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૨૬ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૧૬ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં કોઈ દર્દી દાખલ નથી. જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૩૦ દર્દી દાખલ છે, આજે ૨૭ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૦૮૬ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૨૪૯ પર પહોચ્યો છે.આજે વધુ ૮૮૭ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:18 pm IST)