Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

આણંદ નજીક બાકરોલમાં બપોરના સુમારે ઘઉંનો કુચો ભરી જવાની બાબતે ચાર શખ્સો બાખડ્યા:સામસામે લાકડીથી હુમલો:પોલીસ ફરિયાદ દાખલ

આણંદ: નજીક આવેલા બાકરોલ ગામે ગત ૨૯મી તારીખના રોજ બપોરના સુમારે ઘઉંનો કુચો ભરી જવાની બાબતે ચાર શખ્સોએ ઝઘડો કરીને લાકડીઓથી હુમલો કરી ચારને માર મારતાં આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર રાણીબેન તથા લાભુબેન ગત ૨૯મી તારીખના રોજ બપોરના દોઢેક વાગ્યાના સુમારે રામભાઈ કાકા માર્ગ, બાકરોલ ખાતે ઘઉંનો કુચો ભરી રહ્યા હતા ત્યારે લખાભાઈ સુરાભાઈ ભરવાડ, રઘુભાઈ વિભાભાઈ ભરવાડ, લ-મણભાઈ કમાભાઈ ભરવાડ અને બચુભાઈ મોતીભાઈ ભરવાડ લાકડીઓ લઈને બે બાઈકો પર સવાર થઈને આવી ચઢ્યા હતા અને કોને પુછીને ઘઉંનો કુચો ભરો છો, આ અમારી સીમ છે. જેથી રાણીબેન અને લાભુબેને આ ખેતર કાંઈ તમારુ નથી તેમ કહેતા જ લખાભાઈએ પોતાની પાસેની લાકડી રાણીબેનને માથામા મારી દેતાં લોહી નીકળવા લાગ્યું હતુ. લાભુબેન છોડાવવા વચ્ચે પડતાં બચુભાઈ ભરવાડે તેણીને ગડદાપાટુનો માર માર્યો હતો. દાનાભાઈ તથા દેવાભાઈ વચ્ચે આવી ચઢ્યા હતા અને અમારા ઘરની દીકરીઓને કેમ મારો છો તેમ કહેતા જ ચારેય જણા ગાળો બોલતા દોડતા આવ્યા હતા અને રઘુભાઈ ભરવાડે પોતાની પાસેની લાકડી દેવાભાઈને જમણા પગે ઉપરાછાપરી મારી દીધી હતી.

(5:34 pm IST)