Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ અને અમદાવાદ ગાદી દ્વારા ૩ કરોડ રૂપિયા રાહત ફંડમાં અર્પણ

રાજકોટ, તા.૧: શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી અને અમદાવાદ ગાદી તેમજ તે બંને ગાદીનું રાજકીય પ્રતિનિધિત્વ કરતા રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ચેતનભાઇ રામાણી જણાવે છે કે કે કોરોનાની મહામારીથી ચિંતિત ગુજરાત સરકાર તેમજ રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સહારે આવી તેમની જવાબદારીનો ભાર હળવો કરવા સ્વામીનારાયણ સંપ્રદાયની બંને મુખ્ય ગાદી તેમજ તેમની શાખાઓ દ્વારા અંદાજીત  ૩ કરોડ  મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યા હતા.વડતાલ મંદિર દ્વારા ૫૦૦ વી.વી.આઇ.પી. રૂમના 'યાત્રિક ભવન'ને કવોરન્ટાઇન વોર્ડમાં ફેરવીને ચાવી સોંપી દેવામાં આવી છે. તેમજ સ્વામીનારાયણ મંદિર દ્વારા બનાવેલ 'મલ્ટી-સ્પેશ્યાલીસ્ટ  હોસ્પીટલ'માં વિના મુલ્યે સારવાર કરવાની જવાબદારી લઇ લીધેલ છે.

તદઉપરાંત આજુબાજુના વિસ્તારોના લગભગ ૫૦૦૦ નિરાધાર લોકોને દૈનિક બપોરે તેમજ સાંજે વડતાલ મંદિરમાં બીરાજતા 'લક્ષ્મીનારાયણ દેવ' ને ધરાવેલ પાકો થાળ જમાડવામાં આવે છે. તેમજ રખડતા પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓને પણ ખીચડી જેવું ભોજન કરવામાં આવે છે.

સ્વામીનારાયણ સંપ્રદાય એ આ સેવાના અવસરને જીલીને કરેલ દાનની યાદી મુજબ શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલ, શ્રી સ્વામીનારાયણ મંદિર ગઢડા, શ્રી સ્વામીનારાયણ મંદિર ભુજ, શ્રી સ્વામીનારાયણ મંદિર કાલુપુર (અમદાવાદ), શ્રી સ્વામીનારાયણ મંદિર કુંડળ, શ્રી સ્વામીનારાયણ મંદિર ગુરૂકુઇ એસ.જી.વી.પી. તેમજ ધર્મજીવનદાસસ્વામી હોસ્પિટલ, શ્રી સ્વામીનારાયણ મંદિર જુનાગઢ, શ્રી સ્વામીનારાયણ મંદિર સરધાર, શ્રી સ્વામીનારાયણ મંદિર કલોલ, શ્રી સ્વામીનારાયણ મંદિર લોયા, શ્રી સ્વામીનારાયણ મંદિર રાણપુર, શ્રી સ્વામીનારાયણ મંદિર રાજકોટ- શ્રી ચેતનભાઇ રામાણીના મિત્ર હીમતભાઇ મધુભાઇ પટેલ શ્રી અરવિંદભાઇ દોમડીયા-  આ ઉપરાંત રકમ સ્વામીનારાયણ મંદિરના બે - બે પ્રતિનીધી સંતો ચેક દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને ગાંધીનગર સચીવાલય ખાતે અર્પણ કરવામાં આવી હતી.

(3:24 pm IST)