Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

સુરતમાં પુર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયા કાર્યકરો, સમર્થકો અને શુભેચ્છકો સાથે ' આપ' માં જોડાયા

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાની હાજરીમાં સામેલ થયા

સુરત : તાજેતરમાં જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં પોતાની ભવ્ય જીત પ્રાપ્ત કરી હતી અને અરવિંદ કેજરીવાલ દ્વારા તે જીત બાદ સુરત શહેરમાં એક વિશાળ રેલી નિકાળી હતી જેમાં મોટી સંખ્યમાં લોકો જોડાયા હતા.

સુરતમાં આમ આદમી ભવ્ય જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતના લોકોનું આભાર માનયું હતું અને સરથાણા જકાતનાકા ખાતે જંગી જાહેરસભાને સંબોધન કર્યું હતું. આ જાહેર સભામાં અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ અને ભાજપમાં રહેલા સારા અને દેશસેવા કરવા માંગતા સ્વચ્છ છબી ધરાવતા ઈમાનદાર આગેવાનોને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે જાહેરમાં આમંત્રણ આપ્યું હતું.

અરવિંદ કેજરીવાલની કામની રાજનીતિથી પ્રેરાઈને તેમજ અરવિંદ કેજરીવાલના સંબોધનથી પ્રોત્સાહિત થઈને સુરત મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને સામાજીક આગેવાન દિનેશ કાછડીયા પોતાના કાર્યકરો, સમર્થકો અને શુભેચ્છકો સાથે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાની હાજરીમાં જોડાયા હતા.

(7:59 pm IST)