Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

આઇઆઇએમના ડાયરેકટર તરીકે પ્રો.ડિસુઝાની નિમણુંકઃ કુમાર મંગલમ બિરલાએ કરી જાહેરાત

અમદાવાદઃઆઇઆઇએમના ડાયરેકટર તરીકે પ્રો.ડીસુઝાની નિમણુંક કરાઈ છે આઇઆઇએમના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ આ જાહેરાત કરી હતી પ્રો.ડીસુઝા છેલ્લા ૩ વર્ષથી ઇકોનોમિ સ વિભાગમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. અગાઉ કાર્યકારી ડાયરેકટર તરીકે પ્રો.ડીસૂઝાની નિમણુંક કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, પ્રો.ડીસૂઝાની નિમણુંક કાર્યકારી ડાયરેકટર તરીકે ત્યારબાદ તમને આઇ.આઇ.એમના ડાયરેકટર તરીકે નિમણુંક કરાઈ છે.  પ્રો. ડી'સોઝાએ મુંબઈ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો, જયાં તેમને એમ.એ.(અર્થશાસ્ત્ર) ડિગ્રી મેળવી હતી તેમને પ્રથમ ક્રમ મેળવવા બદલ કાશીનાથ ત્રિમ્બક તેલંગ ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો નવી દિલ્હી ખાતે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી ગ્રાન્ટ્સ કમિશન નેશનલ રિસર્ચ ફેલોમાં તેમણે પીએચડી ડિગ્રી મેળવી હતી.

(3:43 pm IST)