News of Thursday, 14th June 2018
એનસીડીઈએકસ પર કપાસનો વાયદા ફરીથી શરૂ કરી દેવાયો
રાજકોટ, તા.૧૪ : એનસીડીઈએકસ પર કપાસ વાયદા ફરીથી શરૂ કરવામાં આવ્યો છે અને તા.૧૪ જૂનથી કપાસ એપ્રિલ ૨૦૧૯ વાયદામાં ટ્રેડિંગ શરૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે એનસીડીઈએકસ પર શંકર કપાસ વેરાયટીમાં ટ્રેડિંગ શરૂ કરવામાં આવી રહી છે. સાથે હવે કપાસમાં માત્ર એપ્રિલ, નવેમ્બર અને ફેબ્રુઆરી વાયદા જ ઉપલબ્ધ રહેશે. અગાવ એપ્રિલમાં કપાસના નવા વાયદાની લોન્ચિગને રોકવામાં આવી હતી.
(10:24 am IST)