ધંધા પાણી
News of Friday, 9th March 2018

સીંગતેલના ઘટતા મગફળીમાં ખાંડીએ ૩૦૦ તૂટયા : સીંગદાણાના ભાવ દબાશે?

રાજકોટ, તા.૯ : સીંગતેલના ભાવ ઘટયાની અસરે મગફળીના ભાવમાં પણ ઘટાડો જોવાયો છે. અને સીંગદાણામાં પણ દબાણ સર્જાશે તેમ મનાય છે. મગફળીના ખાંડીએ ૨૦૦થી ૩૦૦નો ઘટાડો થયો છે. મગફળીના ભાવ ઘટીને પીલાણના ૧૪૩૦૦ સુધી સરકયા છે. દાણાબરના ભાવ ૧૫ હજાર આસપાસ બોલાય છે. જયારે કોમર્શિયલ સીંગદાણાના ભાવ ૫૩ હજાર આસપાસ જોવાઈ રહ્યાં છે અને બજારમાં એકંદરે નરમાઇનો માહોલ જોવાઈ રહ્યો છે.

(10:06 am IST)